જમ્મુ-કાશ્મીરમાં 7 સરપંચ અને 30 પંચોએ અચાનક રાજીનામું (resignation)આપી દીધુ છે. રાજીનામા પાછળ તેઓએ ઘણા કારણો આપ્યા છે. આ તમામને લઇને પીડીપી પ્રવક્તા મોહિત ભાને કહ્યું કે, હજુ પણ વધુ લોકોએ રાજીનામું આપવું જોઈએ. મળતી માહિતી મુજબ પંચ અને સરપંચોએ ભાજપ સરકાર (BJP Government)પર કેટલાક આરોપો લગાવ્યા છે.
આ કારણોસર રાજીનામું (resignation)આપ્યું
રાજીનામાને લઈને જે માહિતી સામે આવી છે તે મુજબ, 7 સરપંચો અને 30 પંચોએ જમ્મુ અને કાશ્મીરના રામસુના બીડીસી પ્રમુખને રાજીનામું આપ્યું છે. તેઓનો આરોપ છે કે, કેન્દ્રીય મંત્રીઓ દ્વારા તેમને જનસંપર્ક કાર્યક્રમ (Program)માં ભાગ લેવાની મંજૂરી આપવામાં નથી આવી રહી. આ સાથે તેમણે અન્ય કેટલાક મુદ્દાઓ પર પણ વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, અમે જનતાને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છીએ, તેના કારણે અમે રાજીનામું આપ્યું છે.
J&K | 7 sarpanches and 30 panches have submitted their resignation to Ramsoo BDC Chairperson Shafiq Ahmad Katoch alleging that they were not allowed in public outreach programmes by Union ministers & in protest over some other issues, Katoch says pic.twitter.com/aeb0xLpT1M
— ANI (@ANI) October 9, 2021
પીડીપીના પ્રવક્તાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર
પીડીપીના પ્રવક્તા મોહિત ભાનના જણાવ્યાં અનુસાર, રાજીનામું આપનારા પંચ અને સરપંચોની સંખ્યા 55 છે. પીડીપીના પ્રવક્તાનું કહેવું છે કે, સરકાર તેમને સલામત અનુભવ કરાવવામાં નિષ્ફળ રહી છે. પીડીપીના પ્રવક્તાએ આ અંગે સરકાર પર સવાલ કર્યાં છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં 570 લોકોની અટકાયત, આતંકીઓનો સામનો કરવા કેન્દ્ર સરકારે મોકલી નિષ્ણાતોની ટીમ
અધિકારીઓ પંચો અને સરપંચોને મનાવી રહ્યા છે
મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રના અધિકારીઓએ આ પંચો અને સરપંચો સાથે બેઠક યોજી છે જેમણે નારાજગીને કારણે રાજીનામું આપ્યું છે, હાલમાં તેઓના રાજીનામા પરત ખેંચવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ ઉપરાંત તેમની સમસ્યાઓના નિરાકરણ માટે પણ ખાતરી આપવામાં આવી છે.
55 Panch & Sarpanches resign en masse. Cosmetic normalcy pomp & show being projected stands punctured. The government failed in securing these elected representatives & neither could empower them to carry out public welfare works. pic.twitter.com/aJRv1PNKwO
— Mohit Bhan موہت بھان (@buttkout) October 8, 2021
પંચાયતી રાજને સશક્ત બનાવવાનો પ્રયાસ
મહત્વની વાત તો એ છે કે, સરકાર દ્વારા પંચાયતી રાજ સશક્તિકરણની દિશામાં સતત કામ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા ‘આવામ કી આવાઝ’ નામના કાર્યક્રમના સાતમા એપિસોડ માટે લોકો પાસેથી સૂચનો અને વિચારો માંગ્યા છે.
Share your suggestions and ideas for the Episode-7 of ‘Awaam Ki Awaaz’ on the theme “Deepening the Panchayati Raj in Jammu and Kashmir/ जम्मू-कश्मीर में पंचायती राज सशक्तिकरण!"
You can write to us on:
WhatsApp:+91 8493 085 049
Website: https://t.co/Dol7QemwqL #AwaamKiAwaaz pic.twitter.com/jbfwkdKFPo— Office of LG J&K (@OfficeOfLGJandK) October 10, 2021
17 ઓક્ટોબરે પ્રસારિત થનારા આ એપિસોડની થીમ પંચાયતી રાજને મજબૂત બનાવવાની છે. લેફ્ટનન્ટ ગવર્નર ઓફિસ તરફથી નંબર પણ બહાર પાડવામાં આવ્યો છે, પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે, જનપ્રતિનિધિઓના રાજીનામા વચ્ચે પંચાયતી રાજને કેવી રીતે સશક્ત બનાવી શકાય.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4