દેશમાં દેવીના અનેક મંદિરો છે શક્તિના આ ધામો ની અનેક મહિમા પણ છે. આ કડીમાં દેવીનું એક ધામ છે અર્બૂદા દેવી શક્તિપીઠ (Arbuda Devi). રાજસ્થાનના અબુધાબીથી દૂર ત્રણ કિલોમીટર દૂર સ્થિત દેવીનું આ ધામ અનોખુ છે. અર્બૂદા દેવીનું આ મંદિર અધર દેવી શક્તિપીઠના નામથી પ્રખ્યાત છે.
પૌરાણિક પ્રમાણો અનુસાર, અહીં દેવી સતીના હોંઠ પડ્યા હતા. એ જ કારણથી દેવીનું આ ધામ અસ્તિત્વમાં આવ્યું. માતા અર્બૂદા દેવીની (Arbuda Devi) પૂજા કાત્યાયની દેવીના રૂપમાં કરવામાં આવે છે કેમકે દેવીનું આ રૂપ કાત્યાયનીનું જ છે.
માતાજીના દર્શન માટે તમારે લગભગ 365 સીડીઓ ચઢવાની હોય છે. ભલે એ તમારા માટે કઠિન હોઈ શકે છે પણ અહીંયાની સુંદર મૂર્તિઓ અને દ્રશ્ય ચઢાઈ માટે સાર્થક છે. દેવીના દર્શનની ખાસ વાત એ છે કે, અહીં માતાજીના પગલાની પૂજા કરવામાં આવે છે.
Arbuda Devi અવતાર
ઉલ્લેખિય છે કે, અર્બૂદા દેવી કાત્યાયની દેવીનું જ અવતાર છે. જ નવ દેવીઓ પૈકી છઠ્ઠા ક્રમાંકે આવે છે. ઉલ્લેખનિય છે કે, અરબુદ નામના એક સાપ નંદીવર્ધનને આ પર્વત પર પાછા લઈને આવ્યા હતા જેના લીધે મુનિ વશિષ્ટે વરદાન આપ્યું હતુ કે, તમારામાં 33 કરોડ દેવી-દેવતા નિવાસ કરશે. એ જ કારણ છે કે, આ મંદિરને અહીં પર સ્થાપિત કરવામાં આવ્યુ છે.
નોંધનિય છે કે, આ સ્થાન પર મુનિ વશિષ્ઠે ભગવાન શિવની પૂજા કરી હતી અને કાશીવિશ્વનાથના દર્શન કર્યા, કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે, પરમાર શાસકોની ઉત્તપતિ અગ્નિકુંડ થી માઉન્ટ આબૂમાં થઈ હતી. એ જ કારણથી અર્બૂદા દેવી હજુ પણ પરમાર ક્ષત્રિઓની પૈતૃક દેવી છે, મંદિરની પાસે એક દૂધ જેવું જ પાણીનો પવિત્ર કૂવો છે. જેને અહીંના સ્થાનિક લોકો કામધેનુંના રૂપમાં માને છે. આ કૂવો મંદિરના પાણી માટેનો મુખ્ય સ્ત્રોત છે.
Arbuda devi પૌરાણિક કથા
મા અર્બૂદા કે કાત્યાયનીના બાસકલી વધ વિશે એક પૌરાણિક કથા છે. ઉલ્લેખનિય છે કે, દાનવ રાજા કલી જેને બાસકલીના નામથી ઓળખવામાં આવતો હતો. તે દાનવે ઘણા હજાર વર્ષો સુધી તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. શિવજીએ તે દાનવને અજય થવાનું વરદાન આપ્યુ હતુ.
આ વરદાન પ્રાપ્ત કરીને બાસકલીને પોતાના પર ઘમંડ થઈ ગયુ. વરદાન મળ્યા બાદ બાસકલી દેવલોકમાં ઈન્દ્ર સહિત બધા જ દેવતાઓને પરેશાન કરવા લાગ્યો. બાસકલીના ત્રાસથી પરેશાન થઈને બધા દેવતા જંગલોમાં સંતાઈ ગયા હતા. ત્યારબાદ દેવતાઓએ અર્બૂદા દેવીને પ્રસન્ન કરવા ઘણી તપસ્યા કરી.
આ પણ વાંચોઃ- Katyayani Shakti Peeth વૃંદાવનનું આ શક્તિપીઠ 51 પૈકી 11મું શક્તિપીઠ છે
ત્યારબાદ દેવી ત્રણ સ્વરૂપમાં પ્રગટ થયા. દેવતાઓએ દેવી પાસે બાસકલીના ત્રાસમાંથી બચાવવા માટે પ્રાર્થના કરી. માતાએ દેવતાઓ અને ઋષિઓને તથાસ્તુ કહ્યું. ભગવાન શિવનું વરદાન મેળવનારા બાસકલીને મા એ પોતાના પગની નીચે દબાવીને સંહાર કરી દીધો. ત્યારબાદ અર્બૂદા મંદિરની પાસે સ્થિત માતાજીના પગલાની પૂજા થાય છે.
દૂર દૂરથી આવે છે ભક્તો
અર્બૂદા દેવી વિશે એવી પણ માન્યતા છે કે, નવરાત્રી દરમિયાન માતાના ફક્ત દર્શન કરવાથી જ ભક્તોના તમામ દુઃખ, તકલીફ દૂર થાય છે. અહીં આવનારા તીર્થ યત્રિઓ ખુશ થઈને જાય છે. નવરાત્રીના નવ દિવસો સુધી માતાના મંદિરમાં ભક્તોની ભીડ રહે છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે મા અર્બૂદા એટલે કે કાત્યાયનીના દર્શન માટે ભક્તોની ભીડ જમા થવા લાગે છે. નવરાત્રી બાદ પણ અર્બૂદા દેવીની પૂજા ઘણાં દિવસો સુધી કરવામાં આવે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4