દેશની રાજધાની દિલ્હી (Delhi)માં વાયુ પ્રદૂષણના જોખમનું સ્તર જોતા દિલ્હી સરકાર (Delhi Government)સંપૂર્ણ લોકડાઉન (Lockdown)લગાવવા માટે તૈયાર છે. આ તમામ અંગેની જાણકારી દિલ્હી સરકારે આજે સોમવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સોગંદનામું (Affidavit)દાખલ કરીને આપી છે. દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવા માટે તૈયાર છીએ.
Delhi સહિત પાડોશી રાજ્યોમાં પણ લોકડાઉન લગાવવાની માંગણી કરી
દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, અમે લોકડાઉન લગાવવા માટે તૈયાર છીએ. પણ જો પાડોશી રાજ્યો હેઠળ આવતા એનસીઆરમાં પણ લોકડાઉન લગાવવામાં આવે તો તે વધુ સાર્થક રહેશે. જણાવી દઇએ કે, દિલ્હીમાં વધતા પ્રદૂષણના મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ખુબ ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે જો જરૂર પડે તો બે દિવસનું લોકડાઉન લગાવી દો.
Delhi government informs Supreme Court that it's ready to impose lockdown but since it doesn't have air boundaries, Central Government can consider having it in the entire NCR and lockdown has to be imposed as a whole.
— ANI (@ANI) November 15, 2021
હવાની ગુણવત્તામાં હળવો સુધારો!
દિલ્હીમાં વાયુ ગુણવત્તામાં આજે સોમવારે હળવો સુધારો થયો છે અને તે ગંભીર શ્રેણીમાંથી ખુબ જ ખરાબ શ્રેણીમાં પહોંચ્યુ છે. દિલ્હીમાં આજે સોમવારે સવારે 6 કલાકે વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 318 નોંધાયો હતો. તો NCR વિસ્તારોમાં ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને નોઈડામાં AQI ક્રમશ: 312, 329, 317 અને 387 નોંધાયો.
આ પણ વાંચો: દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ નંબરે
Delhi માં શાળાઓ પણ બંધ
ઉલ્લેખનિય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)પ્રદૂષણ સંકટને પહોંચી વળવા માટે ગત્ત શનિવારે એક સપ્તાહ માટે શાળાઓ બંધ કરવા, નિર્માણ ગતિવિધિઓ પર રોક લગાવવા, સરકારી કાર્યાલયોમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવા સહિત અનેક ઈમરજન્સી પગલાંની જાહેરાત કરી હતી. દિલ્હી બાદ હરિયાણા સરકારે પણ મોટું પગલું ભર્યું અને ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જરમાં શાળાઓને 17 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
કોણ અટકાવશે પ્રદૂષણ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4