દિવાળી વેકેશનનો સમય ચાલી રહ્યો છે. ત્યારે દિવાળીના તહેવારથી લઇને હવે ડિસેમ્બર સુધી રજા (Leave)ઓની સીઝન શરૂ થઇ છે. દિવાળી બાદ શિયાળો પણ પોતાની પકડ મજબૂત બનાવશે સાથે રજાઓ પણ શરૂ થશે, ત્યારબાદ નવા વર્ષની રજાઓ પણ શરૂ થશે. જોકે આ તમામ વચ્ચે તમે ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારી પાસે એક સારો વિકલ્પ સામે આવ્યો છે. આ રજાઓમાં તમે IRCTC દ્વારા ગુજરાત (Gujarat)ફરવા જવાનો લાભ ઉઠાવી શકો છો.
IRCTC એ આ પેકેજ નું નામ શું આપ્યુ
ગુજરાત એક એવુ રાજ્ય છે, જ્યાંના ટુરિસ્ટ્સ પ્લેસિસ હંમેશાથી જ મુસાફરોથી હાઉસફુલ રહે છે. અહીંની સંસ્કૃતિ, પરંપરા અને અનેક સ્થળો એવા છે જે સૌને આકર્ષિત કરે છે. IRCTC ગુજરાત ફરવા આવવા માંગતા લોકો માટે શાનદાર ટુર પેકેજ લઈને આવ્યુ છે. જેના અંતર્ગત તમે અમદાવાદ, વડોદરા, દ્વારકા, રાજકોટ અને સોમનાથ જેવી જગ્યાઓ પર ફરવા જવાનુ પ્લાનિંગ કરી શકો છો. IRCTC એ આ ટુર પેકેજમાં VIBRANT GUJARAT WITH STATUE OF UNITY નામ આપ્યું છે.
આ પણ વાંચો: એક ગામ જેનો આર્થિક વ્યવહારનો સંબંઘ ગુજરાત સાથે..પરંતુ આ ગામ મધ્યપ્રદેશ રાજ્યમાં સમાવિષ્ટ છે….
જુઓ ટુર પેકેજની માહિતી
મુસાફરીની શરૂઆત ગુવાહાટી (Guwahati)થી થશે. ગુવાહાટીથી મુસાફરો સવારે 6 વાગીને 55 મિનિટ પર વડોદરા માટે ઉડાન ભરશે. વડોદરા એરપોર્ટ પર લેન્ડ કર્યા બાદ મુસાફરો હોટલમાં આરામ કરશે. આગામી દિવસે નાસ્તો કર્યાં બાદ મુસાફરો Statue of Unity જોવા માટે જશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)નિહાળ્યા બાદ મુસાફરો ફરીથી વડોદરા પરત આવશે.
અહીંથી આગામી દિવસે મુસાફરો સોમનાથ (Somnath)માટે રવાના થશે. સોમનાથ પહોંચીને મુસાફરો સોમનાથ મંદિરના દર્શન માટે જશે. તેના બાદ મુસાફરો ફરી હોટલ પરત આવીને આરામ કરશે. બાદમાં સોમનાથથી મુસાફરોને દ્વારકા લઈ જવામાં આવશે. અહીંથી મુસાફરો અમદાવાદ જશે. અમદાવાદમાં રાત્રે આરામ કર્યા બાદ આગામી દિવસે મુસાફરો અક્ષરધામ (Akshardham)અને સાબરમતીના દર્શન કરશે. અહીંથી ફ્લાઈટ ફરીથી ગુવાહાટી માટે ઉડાન ભરશે.
IRCTC ની સાઇટ પરથી મળી રહેશે માહિતી
ગુજરાત (Gujarat)ના આ 6 દિવસ 5 રાતના ટુર પેકેજ માટે તમને 33, 700 રૂપિયા ખર્ચ કરવા પડશે. વધુ માહિતી IRCTC ની સાઈટ પરથી મળી રહેશે.
આધુનિક ટેકનોલોજીથી સજ્જ ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4