છેલ્લા કેટલાક સમયથી NCP નેતા નવાબ મલિક ડ્રગ્સ કેસને લઈને આરોપો પ્રતિઆરોપોં થઇ રહ્યા છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પણ તેમણે NCB અધિકારી સમીર વાનખેડે પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે હવે નવાબ મલિક ગુજરાતના ડ્રગ્સ કેસને ટાર્ગેટ કરી રહ્યા છે. જેમાં ડ્રગ્સને લઈને તેમણે ગુજરાતની સુરક્ષા મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. જેમાં તેમણે મલિકે ગુજરાતના ભાજપ નેતા કિરીટસિંહ રાણા ડ્રગ્સ કનેક્શન હોવાનુ કહ્યુ હતુ.
દ્વારકામાંથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. NCP નેતા નવાબ મલિકે ગંભીર આક્ષેપ કરી ગુજરાતીઓનું અપમાન કર્યું છે. નવાબ મલિકે કહ્યું, ગુજરાતમાં ડ્રગ્સનો મોટાપાયે વેપાર ચાલે છે. મુંદ્રા બાદ દ્વારકામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. આ સાથે મંત્રી કિરીટસિંહ રાણા ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યો છે.
જીતુ વાઘાણીએ નવાબ મલિકને ફેંક્યો પડકાર
તો સરકારના પ્રવકતા જીતુ વાઘાણી કિરીટસિંહના બચાવમાં ઉતર્યા છે. તેમણે નવાબ મલિકને પડકાર ફેંક્યો છે. કોંગ્રેસ અને NCP પોતાના મોઢા અરીસામાં જોઈ લે. હું કિરીટસિંહ સામે આક્ષેપ કરનારને ચેલેન્જ કરું છું. NCP પુરાવો લાવે બાકી આક્ષેપ બંધ કરે.
આ પણ વાંચો : “પેટ્રોલ, ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાથી ભાવ થશે ઓછા ” – નીતિન ગડકરી
ગુજરાતમાં ડ્રગનો મોટો કારોબાર ચાલી રહ્યો છે – નવાબ મલિક
નવાબ મલિકે કહ્યું કે મહારાષ્ટ્રમાં 2, 4 ગ્રામ પકડીને પબ્લિસિટી કરવામાં આવે છે પણ ગુજરાતમાં ડ્રગનો મોટો કારોબાર ચાલી રહ્યો છે એવો લોકોને શક છે. ગુજરાતના દ્વારકામાં 350 કરોડનું ડ્રગ્સ મળ્યું છે આ એક નવો મામલો સામે આવ્યો છે. ડ્રગ્સ સાથે જોડાયેલા લોકો અમદાવાદની હોટલમાં રોકાતા હતા. જેમાં મનીષ ભાનુશાળી, સુનિલ પાટીલ સહિતના લોકો અમદાવાદ રોકાઈ ચૂક્યા છે. ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલ લોકો કિરીટસિંહ રાણાને શું કામ મળતા હતા. મનીષ ભાનુશાળી, ગોસાવી વારંવાર કેમ ધારાસભ્ય કિરીટસિંહ રાણા પાસે જતા હતા. કિરીટસિંહ રાણા સાથે તેમના શું સંબંધ છે. આ સાથે કહ્યું કે, ગુજરાતમાં ડ્રગ્સ ડિસ્ટ્રીબ્યુશન રેકેટ ચાલે છે..જેથી DG, NCB અને NIA તપાસ કરી આની પાછળ કોણ છે તેની તપાસ કરે.
ગુજરાત ડ્રગનું હબ બની ગયુ છે તેવું કહી ગુજરાતનું કર્યું અપમાન
તેમણે કહ્યું કે ગુજરાતમાં જે રીતે મોટા પાયે ડ્રગ્સ મળ્યું છે તે જોઈને લાગે છે કે ત્યાં ડિસ્ટ્રીબ્યુશનનું રેકેટ ચાલે છે. અમારી માંગણી છે કે DG, NCB અને NIA તપાસ કરી આની પાછળ કોણ છે તેની તપાસ કરે. ગુજરાત ડ્રગનું હબ બની ગયુ છે તેવું સાબિત થઈ રહ્યું છે. નવાબ મલિકે વધુમાં કહ્યું કે જો ફડણવીસે તેમના માટે કઈ કહ્યું છે અને પાછું ન લીધુ તો તેઓ તેમના પર માનહાનિનો કેસ કરશે.