નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે. આ નવ દિવસ લોકો ખૂબ સાદગી અને સાત્વિક જીવન વિતાવે છે. નવરાત્રીમાં કેટલાક લોકો આખા નવ દિવસ કે પછી પ્રથમ અથવા અંતિમ દિવસે ઉપવાસ રાખે છે. નવરાત્રીનું આ તહેવાર ફક્ત આધ્યાત્મિક નહીં પણ શારીરિક રીતે પણ સંતોષ આપનારુ છે. નવરાત્રીમાં ખોરાક (Navratri Food)ની હેબિટને સુધારવી ખૂબ જરૂરી છે. ઉપવાસ કરવાથી અને યોગ્ય ખોરાક ખાવાથી તમારુ શરીર તંદુરસ્ત રહી શકે છે.
Navratri Food
શરીરને ડિટોક્સ કરવા માટે પણ આ સમય ખૂબ સારુ માનવામાં આવે છે. નવરાત્રીમાં ખાણી-પીણીમાં રાખવામાં આવતી સાવધાનીઓ જેના પૂર્ણ થયા બાદ પણ ચાલુ રાખવાની છે. આ નવ દિવસોમાં વિશેષ રૂપે ખાણી-પીણીની કેટલીક વસ્તુથી પરેજી રાખવી જોઈએ.
અનાજ નવરાત્રીમાં નવ દિવસ ઘઉં, ચોખા, સોજી, બેસન, મકાઈનો લોટ, રાગી, નાશપાતી અને બાજરીના લોટનું સેવન કરવુ વર્જિત છે. આ ઘઉં જેવા ગ્લૂટેનવાળા ખાદ્ય પદાર્થોથી દૂર રહેવામાં મદદ કરે છે. તેમાં એનર્જી પેદા કરનારા પ્રોટીન હોય છે. નવરાત્રીમાં અનાજનું સેવન ના કરો.
સફેદ મીઠું મોટાભાગના ભારતીયો ભોજનમાં મીઠાનો ઉપયોગ કરે છે. જેના લીધે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે. નવરાત્રી દરમિયાન તમે સફેદ મીઠાની જગ્યાએ સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો. તેમાં સોડિયમનું પ્રમાણ ખૂબ ઓછુ હોય છે.
શાકભાજી દરેક ઘરમાં નવરાત્રી દરમિયાન અલગ-અલગ પ્રકારના શાકભાજી ખાવામાં આવે છે. અત્યારે કેટલાક લોકો ટામેટાં, પાલક, બટાટા અને દૂધી જેવા શાકભાજીનું સેવન કરે છે. વ્રતમાં ટામેટા ખાઈ શકાય છે કેમકે તેની ગણતરી એક ફળમાં થાય છે. નવરાત્રીમાં લસણ અને ડુંગળીનું સેવન કરવુ હિતાવહ નથી.
આ પણ વાંચોઃ- Cruise: કિંગ ખાનનો પુત્ર જે ક્રૂઝમાં ગયો હતો તેનુ ભાડું જાણી તમારી આંખો થઇ જશે ચાર
મસાલા જે લોકો નવરાત્રીના દિવસોમાં સાત્વિક ખોરાક ગ્રહણ કરે છે તે આ દિવસોમાં હળદર, ધાણાજીરુ જેવા અન્ય મસાલામાં પરેજી રાખે છે. આ દિવસ દરમિયાન સિંધવ મીઠું અને લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો. જીરા પાવડરના ઉપયોગથી પરેજી રાખવી જોઈએ.
દારુ અને નોનવેજ નવરાત્રી દરમિયાન દારુ, ઈંડા અને માંસાહાર આ ત્રણ વસ્તુઓને પાપ માનવામાં આવે છે. તમે નવ દિવસ આ વસ્તુઓથી અંતર રાખજો અને શરીરને ડિટોક્સ કરી શકે છે કેમકે આ દિવસ દરમિયાન શરીરમાં કોઈ પણ પ્રકારની ગરમી કે ઝેરી પદાર્થ પેદા થવા દેતા નથી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4