દેવેન્દ્ર ફડણવીસે આજે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં સ્ફોટક ખુલાસો કરી દિવાળી પછી બૉમ્બ ફોડ્યો. તેમણે NCP નેતા નવાબ મલિક પર જોરદાર પ્રહારો કર્યા છે.ડ્રગ્સ મામલે NCB અને NCPની શરુ થયેલી લડાઈ હવે BJP સુધી પહોંચી ગઈ છે. એક ડ્રગ પેડલર સાથે પત્નીનું નામ જોડવાથી નાખુશ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને NCP નેતા નવાબ મલિક પર ગંભીર આરોપો લગાવ્યાં. તેમણે કહ્યું કે મલિકની કંપનીએ તે લોકો પાસેથી જમીન ખરીદી છે કે જે 1993ના મુંબઈ બ્લાસ્ટના આરોપી છે. તે જમીન દાઉદ ઈબ્રાહિમથી જોડાયેલી છે.
નવાબ મલિકના અંડરવર્લ્ડના લોકો સાથે સંબંધ – દેવેન્દ્ર ફડણવીસ
Nawab Malik has dealings with people from the Underworld people convicted in '93 Mumbai bomb blasts case. He purchased land from convicts of the case on rates cheaper than market rates. Was this deal to save prime land from being forfeited under TADA law?: Devendra Fadnavis, BJP pic.twitter.com/TDe0qfMmGc
— ANI (@ANI) November 9, 2021
નવાબ મલિકના અંડરવર્લ્ડના લોકો સાથે સંબંધ છે. દાઉદ ઈબ્રાહિમ 1993 બોમ્બ વિસ્ફોટનો આરોપી છે. સરદાર શાહવલી ખાન અને હસીના પારકરનો નીકટનો ગણાતો સલીમ પટેલના નવાબ મલિક સાથે વ્યવસાયિક સંબંધ છે. આ બંનેએ નવાબ મલિકના સંબંધીની એક કંપનીને કરોડોની જમીન કોડીના ભાવે વેચી. નવાબ મલિક પણ આ કંપની સાથે થોડા સમય માટે જોડાયેલા હતા. કુર્લા એલબીએસ રોડ પર 3 એકર જમીન ફક્ત 20-30 લાખ રૂપિયામાં વેચવામાં આવી જ્યારે માર્કેટ પ્રાઈસ 3.50 કરોડથી વધુ હતી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મુંબઈના ગુનેહગારો પાસેથી જમીન કેમ ખરીદી? આવી બધી મળીને 5 પ્રોપર્ટી છે જેમાંથી 4માંતો 100 ટકા અંડરવર્લ્ડની ભૂમિકા હતી. આ તમામ પુરાવા એનસીપીના શરદ પવારને પણ આપવામાં આવશે.
ફડણવીસે લગાવ્યા ગંભીર આરોપ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સમાં બે નામ ગણાવ્યાં જેમાં સરદાર શાહવલી ખાન અને મોહમ્મદ સલીમ પટેલનો ઉલ્લેખ કરાયો. તેમણે કહ્યું કે સરદાર શાહવલીને 1993 બ્લાસ્ટ મામલે આજીવન કેદની સજા થઈ. તે હજુ પણ જેલમાં છે. બોમ્બ વિસ્ફોટની તેને જાણકારી હતી. ગાડીઓની અંદર વિસ્ફોટકો ભરનારા લોકોમાં પણ તે સામેલ હતો. તેણે ટાઈગર મેમણને સહયોગ કર્યો હતો. આ સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, મુંબઈ મહાનગર પાલિકામાં બોમ્બ ક્યાં રાખવાના છે તેની રેકી કરી હતી. તેણે જ ટાઈગર મેમણની ગાડીઓમાં RDX લોડ કરાવ્યો હતો.
આ પણ વાંચો : ચીનની નવી ચાલ, સરહદ પર ઓનલાઇન કેમ્પેઇન ચલાવી આપી રહ્યું છે ધમકી
મલિક વિરુદ્ધ SC/ST એક્ટમાં કેસ દાખલ કરવાની ફરિયાદ
આ દરમિયાન નવાબ મલિક સતત NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર નવા-નવા આરોપો લગાવી રહ્યા છે. હવે વાનખેડેએ જવાબી કાર્યવાહીમાં તેમના પર SC/ST એક્ટ પ્રમાણે ફરિયાદ નોંધાવી છે. તેની સાથે FIR દાખલ કરવાની પણ માગ કરવામાં આવી છે. આ અગાઉ વાનખેડેના પરિવારે મલિક પર બોમ્બે હાઈકોર્ટમાં 100 કરોડનો માનહાની કેસ કર્યો છે. તેના પર તેમને આજે જવાબ આપવાનો છે.
સમીર વાનખેડેના પિતા ધ્યાનજેવ વાનખેડેએ ઓશિવારાના ACP પાસે મલિક વિરુદ્ધ SC/ST એક્ટ પ્રમાણે પરિવારની જાતિ વિશે ખોટા આરોપ લગાવાની ફરિયાદ નોંધાવી છે. વાનખેડે ફેમેલીની ડિમાન્ડ છે કે મલિક વિરુદ્ધ FIR નોંધવામાં આવે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4