પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે શું પેટ્રોલ ડીઝલના ભાવ આગામી સમયમાં ઓછા થશે ખરા ? જી હા, કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ બુધવારે કહ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લેતાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધુ ઓછો થઇ જશે અને તેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોના રેવન્યૂમાં પણ વધારો થશે. નિતિન ગડકરીએ કહ્યું કે રાજ્ય સરકારોનું સમર્થન મળતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો પ્રયત્ન જરૂર કરશે.
પેટ્રોલ, ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે, તો તેમના પર ટેક્સ ઓછો થઇ જશે
કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ કહ્યું ‘ જીએસટી પરિષદમાં રાજ્યોના નાણામંત્રી પણ સભ્ય હોય છે. કેટલાક રાજ્ય પેટ્રોલ અને ડીઝલને જીએસટીના હેઠળ લાવવાના વિરૂદ્ધ છે. જ્યારે પેટ્રોલ, ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવાશે, તો તેમના પર ટેક્સ ઓછો થઇ જશે અને કેન્દ્ર ને રાજ્યો બંનેની રેવન્યૂ વધશે. જીએસટી પરિષદએ પોતાની 17 સપ્ટેમ્બરની બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને GST ને દાયરાની બહાર રાખવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો : સાત દેશોના NSAએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, અજીત ડોભાલ રહ્યા હાજર
કેન્દ્રના નિર્ણય પર કહી આ વાત
તો બીજી તરફ સરકાર દ્રારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ક્રમશ: પાંચ અને 10 રૂપિયાનો ઘટાડા સંબંધિત સવાલ પર ગડકરી કહ્યું કે કેન્દ્ર સરકારે આમ જનતાને રાહત આપવા માટે સારું પગલું ભર્યું છે. તેમણે કહ્યું ‘જે પ્રકારે કેન્દ્રએ આમ જનતાને રાહત આપતાં એક્સાઇઝ ડ્યૂટીમા કાપ કર્યો છે, આશા છે કે રાજ્ય સરકારો પણ તેનું અનુસરણ કરશે અને વેટમાં કાપ કરશે. તેનાથી સામાન્ય જનતાને વધુ રાહત મળી શકશે.
શું આ પણ ચૂંટણીને ધ્યાને રાખી ભાવમાં ઘટાડો થશે ?
આ આરોપો પર કેન્દ્રએ 30 વિધાનસભા ક્ષેત્રો અને ત્રણ લોકસભા સીટોની પેટાચૂંટણીના પરિણામે ધ્યાનમાં રાખતાં પગલું ભર્યું છે. ગડકરીએ કહ્યું કે રાજકારણ અમારા માટે સામાજિક-આર્થિક સુધારાનું માધ્યમ છે. અમે ચૂંટણી જીતવા માટે રાજકારણ કરતા નથી. ત્યારે જોવાનું એ રહ્યું કે સામાન્ય લોકોને જે મોંઘવારીનો માર પડી રહ્યો છે એમાં રાહત મળે અને પેટ્રોલ, ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે ખરા ?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4