વડાપ્રધાન મોદીએ આજે શુક્રવારે બંધારણ દિવસ (Constitution Day)ના અવસર પર સંસદ (Parliament)ના હોલમાં સંબોધન કર્યુ હતુ. જ્યાં પીએમ મોદી (PM Modi)એ બાબાસાહેબ આંબેડકર (Babasaheb Ambedkar)સહિત મહાનુભવોને યાદ કર્યા હતા. આ તકે સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, એક સમયે આ જગ્યા પર મહિનાઓ સુધી કેટલાક લોકોએ ભારતના કુશળ ભવિષ્ય માટે મંથન કર્યુ હતુ. આજના દિવસે જ આતંકી ઘટનાને પણ અંજામ અપાયો હતો. આઝાદીના આંદોલનમાં જે જે લોકોએ બલિદાન આપ્યું છે તે તમામને નમન કરું છું.
Constitution Day એ પીએમ મોદીએ બલિદાનીઓને નમન કર્યુ
પીએમ મોદીએ કહ્યું કે, આજે 26/11 આપણા માટે દુ:ખદ દિવસ છે, જ્યારે દુશ્મનોએ દેશમાં આવીને મુંબઇમાં આતંકી ઘટનાને અંજામ આપ્યો હતો. દેશના જવાનોએ આતંકી સાથે ભીડંત કરી શહીદી વ્હોરી હતી. હું આજે 26/11 ના તે તમામ બલિદાનીઓને આદરપૂર્વક નમન કરું છું.
પીએમએ વિપક્ષ પર સાઘ્યુ નિશાન
પીએમ મોદીએ આગળ જણાવતા કહ્યું કે, બાબાસાહેબ આંબેડકરની 125 મી જયંતી હતી, આપણને તમામને લાગ્યું કે, તેનાથી મોટો પવિત્ર અવસર શું હોઇ શકે જેમાં બાબાસાહેબ આંબેડકરે દેશને એક નજરાણું આપ્યુ હતુ. તેને આપણે હંમેશા એક સ્મૃતિ ગ્રંથ તરીકે યાદ કરીએ છીએ. જ્યારે સંસદમાં આ વિષય પર હું 2015 માં બોલી રહ્યો હતો, બાબાસાહેબ આંબેડકરની જયંતીના અવસરે આ કાર્યની જાહેરાત કરતી વખતે પણ વિરોધ થયો હતો. આજે જ વિરોધ થયો છે તેવું નથી, તે દિવસે પણ વિરોધ થયો હતો, કે 26 નવેમ્બર ક્યાંથી લઇ આવ્યા, કેમ કરી રહ્યા છો, શું જરૂર હતી.
संविधान की भावना को भी चोट पहुंची है, संविधान की एक-एक धारा को भी चोट पहुंची है, जब राजनीतिक दल अपने आप में अपना लोकतांत्रिक कैरेक्टर खो देते हैं।
जो दल स्वयं लोकतांत्रिक कैरेक्टर खो चुके हों, वो लोकतंत्र की रक्षा कैसे कर सकते हैं।
– पीएम @narendramodi
— BJP (@BJP4India) November 26, 2021
રાજકીય પક્ષો લોકતાંત્રિક કેરેક્ટર ગુમાવી ચુક્યા છે
પીએમ મોદીએ કહ્યું કે, મહાત્મા ગાંધી (Mahatma Gandhi)એ આઝાદીના આંદોલનમાં અધિકારો માટે લડતી વખતે પણ કર્તવ્યો માટે તૈયાર કરવાની કોશિશ કરી હતી. દેશમાં આઝાદી બાજ જો કર્તવ્ય પર ભાર મુકવામાં આવ્યો હોત તો સારૂં થાત. આગળ જણાવ્યું કે, બંધારણની ભાવનાને ઠેસ પહોંચી છે. બંધારણની એક એક કલમને ચોંટ પહોંચી છે. જ્યારે આ તમામ વચ્ચે રાજનીતિક પક્ષો પોતાનું કેરેક્ટર ગુમાવે છે. જે પક્ષ પોતે લોકતાંત્રિક (Democratic)કેરેક્ટર ગુમાવી ચૂક્યો હોય, તે લોકતંત્રની કેવી રીતે રક્ષા કરી શકે? મહાત્મા ગાંધીએ કર્તવ્યાના જે બીજ વાવ્યા હતા, આઝાદી બાદ તે વટવૃક્ષ બનવા જોઇતા હતા. પરંતુ દુર્ભાગ્યપણે શાસન વ્યવસ્થા એવી બની કે તેણે અધિકાર, અધિકારની વાતો કરનારા લોકોને એક અવસ્થામાં રાખ્યા કે અમે છીએ તો તમારો અધિકાર પૂરા કરીશું.
આ પણ વાંચો: PM Modi in Lucknow: PM મોદી આજે લખનૌની મુલાકાતે, આંતરિક સુરક્ષા માટે તૈયાર કરશે રણનીતિ
દેશહિત પર રાજનીતિ હાવી ન થવી જોઈએ
પીએમ મોદીએ કહ્યું કે, આ કાર્યક્રમ કોઈ રાજનીતિક પક્ષનો ન હતો. કોઈ પ્રધાનમંત્રીનો ન હતો. આ કાર્યક્રમ સ્પીકર પદની ગરિમાનો હતો. આપણા પૂર્વજ આપણને આશીર્વાદ આપે કે આપણે બંધારણ (Constitution)ની ગરિમા જાળવી રાખીએ. આપણે કર્તવ્ય પથ પર ચાલતા રહીએ. દેશહિત પર રાજનીતિ હાવી ન થાય. વિચારધારા ભલે અલગ અલગ હોય પરંતુ રાષ્ટ્રહિત સૌથી ઉપર હોય. પીએમે કહ્યું કે પરિવારવાદ લોકતંત્ર માટે જોખમ છે. રાજનીતિક પક્ષ, પાર્ટી- ફોર ફેમિલી, પાર્ટી બાય ધ ફેમિલી- આગળ કહેવાની જરૂર લાગતી નથી.
વિપક્ષોએ કર્યો બહિષ્કાર
સંસદમાં બંધારણ દિવસના અવસરે કેન્દ્ર સરકારે એક આયોજન કર્યુ હતુ. જેનો કોંગ્રેસ (Congress), સપા, ડીએમકે, ટીએમસી સહિત 14 પક્ષોએ બહિષ્કાર કર્યો હતો. જેના પગલે વિપક્ષો અને સરકાર વચ્ચે ખેંચતાણ સામે આવી છે.
Best wishes to our citizens on Constitution Day.
On this special day, sharing a part of Dr. Ambedkar’s speech
in the Constituent Assembly on 4th November 1948 in which he moved a motion for adoption of the Draft Constitution as settled by the Drafting Committee. pic.twitter.com/pviZNrKsGd— Narendra Modi (@narendramodi) November 26, 2021
પીએમ મોદીએ Constitution Day ની શુભેચ્છાઓ પાઠવી
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, આપણા દેશવાસીઓને બંધારણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આ વિશેષ દિવસે 4 નવેમ્બર 1948 ના રોજ બંધારણ સભામાં અપાયેલા ડોક્ટર આંબેડકરના ભાષણનો એક અંશ શેર કરું છું. જેમાં તેમણે ડ્રાફ્ટ સમિતિ દ્વારા નક્કી કરાયેલા ડ્રાફ્ટ બંધારણને અપનાવવા માટે એક પ્રસ્તાવ રજુ કર્યો હતો.
कोई भी संविधान चाहे वह कितना ही सुंदर, सुव्यवस्थित और सुदृढ़ क्यों न बनाया गया हो, यदि उसे चलाने वाले देश के सच्चे, निस्पृह, निस्वार्थ सेवक न हों तो संविधान कुछ नहीं कर सकता। डॉ. राजेंद्र प्रसाद की यह भावना पथ-प्रदर्शक की तरह है। pic.twitter.com/UFpvSIpEXJ
— Narendra Modi (@narendramodi) November 26, 2021
તો પીએમ મોદીએ અન્ય એક ટ્વિટમાં લખ્યુ છે કે, કોઇ પણ બંધારણ પછી ભલે તે ગમે તેટલું સુદર, સુવ્યવસ્થિત અને સુદ્રઢ કેમ ન બનાવવામાં આવ્યું હોય, જો તેને ચલાવનારા દેશના સાચા, નિસ્પૃહ, નિસ્વાર્થ સેવક ન હોય તો બંધારણ કશું કરી શકે નહીં. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની આ ભાવના પથદર્શક જેવી છે.
UNGA માં PM મોદીનું સંબોધન
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4