ગુરુનાનક દેવના 552મા પ્રકાશવર્ષ નિમિત્તે પાકિસ્તાનસ્થિત કરતારપુર સાહેબ આશરે 21 મહિના પછી ફરી ખૂલી ગયું છે. તેનો ઈતિહાસ 500 વર્ષથી પણ જૂનો છે. પંજાબના મુખ્યમંત્રી ચન્ની સાથે અનેક મંત્રીઓ, ધારાસભ્યોની સાથે કેટલાક અધિકારીઓ કરતારપુર જશે. તેમની સાથે તેમના અનેક મંત્રીઓ, ધારાસભ્યોની સાખે કેટલાક અધિકારીઓ પણ જશે. પરંતુ પંજાબ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નવજોત સિંદ્ધુ આ ગ્રુપમાં સામેલ નહીં થાય. તે 20 નવેમ્બર એટલે શનિવારે પોતાના ગ્રુપને લઈને કરતારપુર જશે. સિંધુએ કરતારપુર જવા માટે મંગળવારે અરજી કરી છે. રિપોર્ટ અનુસાર આજે ચન્નીની સાથે લગભગ 100 લોકો ઐતિહાસિક કરતારપુર જશે. ચન્નીનો આ પ્રવાસ ગુરુપર્વના એક દિવસ પહેલા થઈ રહ્યો છે. શીખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક દેવના જન્મ દિનને ગુરુપર્વના રુપમાં મનાવવામાં આવે છે.
ગુરુનાનક દેવે પોતાનો અંતિમ સમય કરતારપુરમાં જ વિતાવ્યો હતો
ગુરુનાનક દેવે કરતારપુરમાં જ પોતાનો અંતિમ સમય વિતાવ્યો હતો. હવે કરતારપુર પાકિસ્તાનમાં છે. અહીં ગુરુદ્વારા દરબાર સાહિબ છે. આ શીખ ધર્મનું એક બહું પવિત્ર સ્થળ છે. અહીં જવા માટે કરતારપુર કોરિડોર બનાવવામાં આવ્યું છે. આનાથી કાલે એટલે કે બુધવારે જ ખોલવામાં આવ્યું હતું. અહીં એક વીઝા ફ્રી કોરિડોર છે. એટલે કે અહીં જવા માટે ભારતીય નાગરિકોને વિઝા લેવાની જરુર નથી પડતી. બુધવારે એક 28 સભ્યોનું ગ્રુપે અહીંનો પ્રવાસ કર્યો હતો. આ લોકો કાલે સવારે 11 વાગે પાકિસ્તાનમાં દાખલ થયા હતા.
આ પણ વાંચો : IRCTCએ પહેલી પોડ હોટલ શરૂ કરી, કેપ્સ્યૂલ જેવા દેખાતા લક્ઝરી રૂમમાં આરામ કરી શકશે યાત્રી
વિધાનસભા ચૂંટણીને જોતા પાર્ટીઓમાં કરતારપુર સાહિબે જવાની હોડ લાગી
પંજાબમાં આગલા વર્ષની શરુઆતમાં થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણીને જોતા તમામ પાર્ટીઓમાં કરતારપુર સાહિબે જવાની હોડ લાગી છે. ગુરુવારે ભાજપનું એક પ્રતિનિધિમંડળ પણ કરતારપુર સાહિબ જવાનું છે. આપનું પ્રતિનિધિમંડળ શુક્રવારે કરતારપુર સાહિબ જશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4