વડોદરા જીલ્લામાં સ્વિટી મર્ડર કેસ ખુબ ચર્ચનું કારણ બન્યો હતો, પતિ અજય દેસાઇએ જ પત્ની સ્વિટિ પટેલની હત્યા કરી હોવાનું બહાર આવ્યુ હતુ, ત્યારે આ કેસમાં તપાસ અધિકારીઓએ કોર્ટમાં 1300 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. બે અલગ અલગ કલમો કેસમાં એડ કરાઇ છે, તો સ્વિટીના બળેલાં હાડકાંની તપાસ માટે અમેરિકા મોકલવાનો નિર્ણય પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. સ્વિટિ પટેલહત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પીઆઇ અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. આ કેસમાં સ્વિટીના બળેલા હાડકાની તપાસ માટે અમેરિકા મોકલવાનો નિર્ણય પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
અજય દેસાઇ એટલે કે સ્વિટિ દેસાઇનો પતિ જ પત્નીનો હત્યારો નિકળ્યો હતો, જે બાદ આખો કેસ ચોંકાવનારો બની હયો હતો, કારણ કે પતિ એ પત્નીની લાશની ઓળખાણ ન થાય તે માટે તેણે પોતાની પત્નીને જ મોતને ઘાટ ઉતારીને લાશને સળગાવી દીધી હતી, જેથી મૃતકની ઓળખાણ ન થઇ શકે. સ્વિટિ પટેલ હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પીઆઇ અજય દેસાઇ અને કીરીટસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.
શું હતો આખો કેસ?
વડોદરા જીલ્લામાં એસઓજી પીઆઇ એ.એ દેસાઇનાં પત્ની 37 વર્ષના સ્વીટી દેસાઇ (Sweety Desai) કરજણમાંથી રહસ્મય રીતે 45 દિવસ પહેલાં રહસ્યમય રીતે ગુમ થયા હતા.
આ કેસમાં પોલીસ તપાસમાં હાથ લાગ્યુ કે, સ્વીટી પટેલના આ બીજા લગ્ન હતા, તેમના પહેલાં પતિ અને પુત્ર ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા, જ્યાં તેમનો પુત્ર 15 વર્ષના રુધમે વિદેશમાં બેઠાબેઠા માતાને શોધવા અને ન્યાય આપવા માંગ કરવામાં આવી હતી. પુર્વ પતિ અને તેમના પુત્ર રિધમે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન શરૂ કરતા આ એક ઈન્ટરનેશનલ મુદ્દો બની ગયો હતો.
કેસ સોલ્વ કેમનો થયો?
આ કેસ ડભોઇ ડિવિઝનના ડીવાયએસપી કલ્પેશ સોલંકીને સોંપાયો જે બાદ પોલીસની ટીમ સ્વીટીની શોધખોળ કરવા માટે એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્ક્વોડ, ડભોઇ ડિવિઝનના સ્ટાફ અને કરજણ પોલીસ તમ પાંચ પોલીસની ટીમ દ્વારા તપાસ કરાઇ ,અલગ અલગ જગ્યાએ ડોગ સ્કોવડની મદદ લઇને પણ શોધખોળ શરુ કરાઇ.
થોડા દિવસ પહેલા જ અચાનક જ PIએ નાર્કો ટેસ્ટનો ઈન્કાર કરતાં ક્રાઈમ બ્રાન્ચની તપાસ કિરીટસિંહ જાડેજા તરફ ડાઈવર્ટ થઈ હતી. અને પોલીસે એક પછી એક આ કેસમાં પુરાવા પણ મળતા રહ્યાં.
પણ પોલીસની તપાસમાં અટારી નજીક હોટેલમાં આ બળેલા હાડકાં મળી આવતા અને ત્યાં જ પતિ પીઆઇ અજય દેસાનું લોકેશન પણ મળી આવતા ઘટના સોલ્વ થવા તરફ આગળ વધી રહી હતી.
સ્વિટિના ઘરના બાથરુમમાંથી મળ્યા લોહીના ડાઘા
સ્વીટીના મિસિંગ કેસમાં સ્વિટિ પટેલ અને પીઆઇ એ.એ અજય દેસાઇ જે ઘરમાં રહેતાં હતા, તેના બાથરુમમાંથી લોહીના ડાઘા મળ્યા આ લોહીનાં ટીપાને ગાંધીનગર ખાતે FSL મોકલવામાં આવ્યા, આ કેસ પર સ્વીટીના પતિ અને પીઆઇ અજય દેસાઇ પર શંકાની સુઇ આવીને અટકી હતી, જેના કારણે આ કેસ સોલ્વ થવાની નજીક હતો. આ સિવાય પોલીસને સ્વિટિના ઘરની બહાર સીસીટીવી મળ્યા હતા, જેમાંથી સ્વિટિ પટેલ ઘરમાંથી બહાર ન આવ્ય હોવાથી શંકા ગઇ હતી.
કોંગ્રેસી નેતા કિરિટ સિંહ જાડેજા સાથે અજય દેસાઇની મિત્રતા ગાઢ હતી જેના કારણે તેણે લાશને ઠીકાને લગાવવા માટે પી આઇ અજય દેસાઇનો સાથ આપ્યો હતો.
આ પણ વાંચો: સ્વીટી પટેલ મર્ડર મિસ્ટ્રી કેસ: પોલીસ જ પોલીસને ગોળ ગોળ ફેરવતી રહી
અજય દેસાઇ પોતાની બહેન લગ્ન પહેલાં પ્રેગનેટ થઇ ગઇ છે, એમ ખોટુ બોલીને લાશને બાળવા માટે મદદ માંગી હતી, અને કિરિટસિંહ જાડેજાએ તેની મદદ કરી હતી.
આ સાથે જ પોલીસે જ્યાંથી હાડકાં મળી આવ્યા હતા તે જમીનના દસ્તાવેજની પણ તપાસ કરી હતી. કારણ કે આ હોટેલ ના 15 જેટલા ભાગીદારો હતા, જેમાં કિરિટસિંહ પણ ભાગીદાર હતો અને તે હોટેલનું કામ પણ અડધેથી અટકી ગયુ હતુ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર 4 જ દિવસમાં કેસને ઉકેલી નાંખ્યો હતો.
જો કે અજય દેસાઇએ પોતાનો ગુન્હો કબુલી લેતા આ કેસનો અંત આવ્યો છે, અને આ કેસમાં DGP આશિષ ભાટિયાએ પોતાનું નિવેદન આપતા કહ્યું છે કે, અજય દેસાઇએ રક્ષણ થઇને ભક્ષણનું કામ કર્યું છે, જેથી તેને કડકમાં કડક સજા થશે.
આવા જ દેશ વિદેશના સમાચાર, ક્રાઇમ અને રમત-ગમતના સમાચારો માટે તમે જોતાં રહો માત્ર OTT india…
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4