ભારતના પૂર્વોતર રાજ્ય નાગાલેન્ડ (Nagaland)માં ફાયરિંગમાં 13 નાગરિકોનાં મોત થયાની ઘટના સામે આવી છે. આ આંકડો વધી શકે છે. ફાયરિંગની ઘટના ઘટ્યા બાદ સ્થનિકોએ સેનાના વાહનોમાં આગ ચાંપી દીધી હતી.
Nagaland માં ફાયરિંગ દરમિયાન 13 ના મોત
નાગાલેન્ડના મોન જિલ્લાના ઓટિંગનીમાં ફાયરિંગ (Firing)માં 13 નાગરિકોનાં મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ આ લોકો ઉગ્રવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાની આશંકાના પગલે સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યુ હતુ, જેમાં આ મોત થયા હતા. આ ઘટના ઘટ્યા બાદ વિસ્તારમાં હિંસા ફેલાઇ ગઇ હતી. સુરક્ષાદળો અને સ્થાનિકો વચ્ચે હિંસક અથડામણ પણ થઇ હતી.
The unfortunate incident leading to killing of civilians at Oting, Mon is highly condemnable.Condolences to the bereaved families & speedy recovery of those injured. High level SIT will investigate & justice delivered as per the law of the land.Appeal for peace from all sections
— Neiphiu Rio (@Neiphiu_Rio) December 5, 2021
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોની યાદી કરી જાહેર, સરકારને વળતર આપવા કરી માંગ
Nagaland ની ઘટના મામલે સીએમએ શું કહ્યું?
આ સમગ્ર ઘટનાને લઇને નાગાલેન્ડના મુખ્યમંત્રીએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ ઘટના મામલે એસઆઇટી (SIT)ની પણ રચના કરવામાં આવી છે. સીએમએ ટ્વિટ કરીને ઓટિંગમાં નાગરિકોની હત્યા પર દુ:ખ વ્યક્ત કરતા ઘટનાની નિંદા કરી હતી. મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. આ મામલે એસઆઇટી તપાસ કરશે અને કાયદા અનુસાર ન્યાય અપાવશે. હું તમામને શાંતિ જાળવવા અપીલ કરું છું.
મળતી માહિતી મુજબ ઘટના અટિંગના એક ગામમાં સર્જાઇ છે. હુમલા (Attacks)માં માર્યા ગયેલા લોકો મિની ટ્રકથી પરત ફરી રહ્યા હતા. તે સમયે તે ગામમાં પરત ફર્યા નહતા. જેના પગલે સ્થાનિક ગામના લોકો તેને શોધવા નિકળ્યા હતા, ત્યારે તેમને મૃતદેહો મળી આવ્યા હતા.
અમરેલીમાં ધોળા દિવસે ફાયરીંગ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4